@સાતમાની સાનિયા એ પુરા ગાંભીર્યથી પૂછ્યું : તમને ખબર છે, તારા કેવી રીતે બને?
બ્રહ્માંડ અંગેની ચપટીક માહિતીથી ખદબદતા શિક્ષકના મગજે ઉથલો માર્યો કે હહ્, ખબર જ્ હોય ને ! પણ, ત્યાં મિત્રતાનો અંશ સળવળી બોલ્યો, પહેલાં એની વાત સાંભળ પછી તારી ટકટક કર. એટલે શિક્ષકે પૂછ્યું , કેવી રીતે બને તારા?
સાબુના ફીણમાંથી ! એના અવાજનો રણકાર કહેતો હતો કે એ માહિતીની એને કેટલી ખાતરી છે.
હમ્મ, તને કઈ રીતે ખબર પડી?
પરપોટા ફૂટે એમાંથી તારા બને અને પરપોટાનો પ્રકાશ એ પ્રક્રિયામાં ભૂમિકા ભજવે.-આ વિગત ભૌતિકશાસ્ત્ર મુજબ પણ ખરી જ્ છે ને !
ત્રીજાની ઈવા એ રાતના તપનું જોયું ને પૂછ્યું : તાપણાં વડે અજવાળું કેમ આવે?
શો જવાબ આપવો એ ના સુઝ્યું એટલે વળતો પ્રશ્ન : મને ખબર નથી, તુ જ્ કહે ને !
તાપણામાં સુરજ પેસી ગયો હોય !
એમ?
હા, જો ને, સુરજ પણ અજવાળું આપે છે ને સવારે.
બીલકુલ.