આ પ્રયોગ અમે ૨૨
ડીસેમ્બર’ ૧૧ એ શરુ કર્યો હતો, બપોરે ૧ વાગ્યે.
સૌ પહેલાં અમે અમારા બધાના
પડછાયા માપ્યા. પછી એક લાકડીનો પડછાયો માપ્યો. શિક્ષકે જણાવ્યું કે હવે દર ૧૫
દિવસે આપણે આ લાકડીનો પડછાયો માપવાનો છે અને સાથે પ્રશ્ન મુક્યો – આ લાકડીનો જ્
કેમ, કોઈ માણસનો કેમ નહિ તે વિચારો.
ચાલુ વર્ગે કેટલીક
મિનીટો માટે મેદાનમાં જવું કયા બાળકને ના ગમે ! એટલે પ્રયોગ સામે તો કોઈને વાંધો ન
હતો. પણ, આ પ્રયોગ કરવાથી શું થશે તેવું પરિણામ તાત્કાલિક નજર સામે ના દેખાતા
તેમના ચિત્તમાં ખળભળાટ થતો હતો. વળી, પહેલાં બે-ત્રણ માપન દરમ્યાન તો પડછાયાના
માપમા કોઈ નોંધપાત્ર ફેરફાર ના દેખાયો એટલે કેટલાક તો અકળાયા પણ ખરા, ‘ તમને આવા
નકામા પ્રયોગો સુઝે છે !’. જો કે, શિક્ષક પપ્રત્યેની મુલ્ય આધારિત શ્રદ્ધાને કારણે
અને મેદાનમા આવવા મળે તે કારણે પ્રયોગ તો જારી રહ્યો.
દર પંદર દિવસે અમે
બપોરના એક વાગ્યે પડછાયો માપતા રહ્યા અને તે માપ નોંધાતા રહ્યા.
જાન્યુઆરીના અંત
દરમ્યાનથી પડછાયાની લંબાઈમાં નોંધપાત્ર ફેર પડ્યો હતો. તેને કારણે સૌને વિસ્મય
થયું-આવું કેમ, કઈ રીતે? હજી જવાબ આપવાનો સમય પાક્યો નહોતો.
લાકડીના પડછાયાની ટૂંકાઈ
જોઈ બધા ઉદગારોમા સરી પડ્યા. એ પછી તો અમે અમારા ગામના અક્ષાંશ પણ માપ્યા,એ
પડછાયાની મદદથી જસ્તો .
એ પછી પાઠ્યપુસ્તકમા
ભૂગોળના એકમ (ધોરણ ૭, એકમ-૧૫,૧૬) વાંચ્યા ! અમારા જવાબો એમાં હતા.
No comments:
Post a Comment