અમારા
ગામમાં ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલય છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ તેનો ભરપુર ઉપયોગ
કરે. અવારનવાર ‘લાયબ્રેરીવાળા દાદા’ની વાત પણ કરે. જે સંખ્યામાં વિધાર્થીઓ
પુસ્તકાલયનો ઉપયોગ કરે, એ ‘દાદા’ને મળવાનું મન થયું. પુસ્તકાલયની મુલાકાતનું
બહાનું ય હતું. એ મુલાકાતમાં જાણવા મળ્યું કે આ દાદા, એટલેકે લાયબ્રેરિયન તો
નિવૃત્ત શિક્ષક છે ! આ ગામ એમની જન્મભૂમી કે કર્મભુમી નહિ, પણ, સંજોગોવસાત્ પાછલી
અવસ્થામાં આ ગામમાં સ્થાયી થવાનું થયું અને એમાં પુસ્તકાલય સાથે જોડાયા. રંગભાઈ
અમીન. ગોધરા,ડૉ.પોલન વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પુસ્તકાલયના
મુલાકાતીને સહજ આવકાર ઉપરાંત પુસ્તકો અંગેના સૂચનો પણ આપે. શિક્ષકનો જીવ ખરો ને !
No comments:
Post a Comment