Monday, December 12, 2011

શરીર સ્વાસ્થ્ય માટેના જોડકણાં



ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે
 , તે ઘરડા પણ થાય જવાન.

રોટલાકઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,
મૂળોમોગરી
ગાજર ને બોરજે ખાય રાતે તે રહે  રાજી.

હિંગમરચું અને આમલી
સોપારી અને તેલ,
શોખ હોય તો પણસ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ 
રસ ને મધ મેળવીચાટે જો પરમ ચતુર,
શ્વાસ
શરદીઅને વેદનાભાગે તેના જરૂર.

ખાંડમીઠું
 અને સોડા ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં  વિવેકબુદ્ધિથી  વપરાય.

ફણગાવેલા કઠોળ જે 
ખાયતે લાંબોપોહળો અને તગડો થાય
દૂધ-સાકરએલચીવરીયાળી અને દ્રાક્ષ ગાનારા સૌ
 ખાય

લીંબુ કહેહું ગોળ ગોળભલે રસ છે મારો ખાટો,
સેવન 
કરો જો મારું તોપિત્ત ને મારું હું લાતો.

ચણો કહેહું ખરબચડોપીળો પીળો રંગ જણાય,
ચણા
 દાળ ને ગોળ જે ખાયતે ઘોડા જેવો થાય.

મગ કહેહું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો 
માણસ ઉઠાડું માંદુ

કારેલું કહેકડવોકડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારોડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહેમારામાં
 ગુણ એક પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહેમારામાં અવગુણ એક નહીંપણ ગુણ 
છે પુરા વીસ

ઉનાળો જોગીનોશિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહેદર્દ નામ કદી  
લે  જોગીનું

No comments:

Post a Comment