Monday, December 12, 2011

ગોખેલે બેઠો છે ગોખેલો

વિજ્ઞાનમેળા, નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ હરિફાઈ અને નાટકો  જેવી પ્રવૃત્તિઓ વખતે સ્મૃતિનો જયજયકાર થતો જોવા મળે છે. જે વિદ્યાર્થી સડસડાટ અને કડકડાટ બોલી જાય એની વાહ વાહ થાય, એને આર્થિક,સામજિક લાભ થાય અને એવા વિદ્યાર્થીને 'શાળાનું નામ રોશન કરનાર તારક' ની ઉપાધિ(ધી) અપાય. છોગામાં ગણમાન્ય મહેમાનો પણ તેને બિરદાવે છે. આ માહોલ એક સંદેશો વહેતો કરે, સફળતા એટલે આ-બાહરી વાહવાહી
આવા કડકડતા વિદ્યાર્થીઓ સ્મૃતિનો ભાર વેંઢારતા વાહનો બની જાય છે. પોતે જે રજુ કરે છે એનો અર્થ એને ખબર નથી હોતી. આવી અભાનાવસ્થા માટે એને શાબાશી મળી રહી છે. આ વિદ્યાર્થી અને અન સખાઓ શું શીખી રહ્યા છે?- કે આ દુનિયામાં આવી સંતાકુકડી કરનાર જ સફળ છે, કે સમજણ કરતાં ગોખણ (એ પાછું જ્ઞાન પણ નથી હોતું, હોય છે ફક્ત સ્મૃતિ .) વધુ મહત્વનું છે.
આવા ગોખણીયા ગોટલા અંગે આપનું શું માનવું છે? (મહેરબાની કરીને ગોખેલો ઉત્તર ના આપશો.)

2 comments:

  1. True it is.....but for coming out of inteligence's this measure is yet difficult. It's easy to impress our people from outer shining.

    ReplyDelete
  2. હા સેજલ, એકની વાહ-વાહી પાછળ બાકીનો આખો સમૂહ લઘુતાગ્રંથીમાં આવી જાય છે અને તે પણ ખોટી.

    ReplyDelete